દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના વડાપ્રધાન તરીકેના યશસ્વી અને જનકલ્યાણકારી કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામ ખાતે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ દ્વારા વિશેષ મહા અભિષેક કરવામાં આવ્યો હતો. આ પાવન અવસરે મેયરશ્રી મીરાબેન પટેલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત રાષ્ટ્રસેવા માટે પ્રાર્થના કરી હતી. […]


