૧ મે ૨૦૨૬ : ગાંધીનગર પાસે આવેલા ઉનાવા ગામમાં યોજાશે મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ તા. 2 મે 2026 થી 9 મે 2026 સુધી રજત જયંતી મહોત્સવનું આયોજન મહોત્સવ માં 2જી મે એ રાત્રે 8 વાગે ભવ્ય પોથી યાત્રા, 3 થી 7 તારીખ રાત્રે 9 થી 11 શિવ શક્તિ મહિમા પારાયણ 7 થી 9 તારીખ ભવ્ય શતચંડી યગ્ન સહિત ધામધૂમ થી માતાજી ની રાજોપચાર વિધિ નું પણ આયોજન કાળુપુર સ્વામિનારાયણ મંદિર ના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદના આશીર્વાદથી આ ધાર્મિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
કથાના વક્તા તરીકે કલોલ ના જમિયત પૂરાના મહંત સ્વામી યગ્ન પ્રકાશજી સંગીતમય શૈલીમાં કથામૃતનું પાન કરાવશે.
25 વર્ષ પહેલા કાળુપુર સ્વામિનારાયણ મંદિરના મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદ દ્વારા આ મંદિરની મહાકાળી માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મહોત્સવ દરમ્યાન ભવ્ય શોભા યાત્રા, રાસ ગરબા, અને વિવિધ ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રોજના 8 થી 10 હજાર લોકો આ મહોત્સવ માં ભાગ લેશે





