Gujarat Headline News Top Stories

શ્રીમતિ શીલાબેન મોદીની સ્મૃતિમા બંધાયેલ ટેમ્પલતિર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

સનાતન ધર્મ ટેમ્પલતિર્થ સંકુલનું ધોળકામાં કેડિલા ફાર્માસ્યુટિકલે નિર્માણ કર્યું છેઃ

અમદાવાદઃ શ્રીમતિ શીલાબેન મોદીની સ્મૃતિમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ નિર્માણ કરેલા ટેમ્પલતિર્થ સનાતન ધર્મ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવારે શરૂ થયો છે.ટેમ્પલતિર્થ શ્રીમતિ શીલાબેન આઈ.મોદીની યાદમાં નિર્માણ કરાયેલ છે. તે તેમના પતિ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક શ્રીઈન્દ્રવદન મોદી માટે પ્રેરણાનો સતત સ્રોત અને તેમના જીવનમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા બજાવતા રહ્યા છે.  શીલાબેન કંપનીના પ્રથમ કર્મચારી હતા અને ત્યાં પ્રોડકટસ ધોવાનું તથા ટેબલ પર પ્રોડક્ટસ ગોઠવવાનું કામ કરતા હતા. આ સ્મૃતિસ્થાન તેમના જીવનને સાચી અંજલિ સમાન છે.

આ સનાતન ધર્મમંદિર અને સ્મૃતિસ્થળ શીલાબેનના જીવનને અંજલી સમાન છે સ્વ. ઈન્દ્રવદન મોદીની અંતિમવિધીના બીંદુથી સમાનધરી ઉપર તેની રચના કરાઈ છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી જણાવે છે કે “શ્રીમતિશીલાબેન મોદી ખૂબ જ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતા. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે પોતાના રોગોના કારણે ઘણીવખત પ્રવૃત્તિઓ મર્યાદિત કરી હતી, પરંતુ તે પ્રાર્થના કરતા હતા અને મંદિરની શક્ય તેટલી મુલાકાત લેતા હતા. ટેમ્પલતિર્થ તેમને સાચી અંજલિ આપવા માટે તૈયાર કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન અને તે પછી તા. 11 થી 13 માર્ચ દરમ્યાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીં હાજરી આપશે.” પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરંપરાગત રીતે મંત્ર અને શ્લોકોના ગાન વચ્ચે યોજાઈ રહ્યો છે.આ પ્રસંગે મૂર્તિઓની પ્રતિષ્ઠા અને સ્નાનવિધી યોજાશે.  આ સ્થળે 84 પવિત્રસ્થળોની પ્રતિકૃતિઓ  8 દિશામાં 8  દિગ્પાળનો જીવંત અનુભવ પૂરોપાડીને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવેલ છે.શ્રીમતિ શીલાબેન મોદીની પવિત્રતાને ધ્યાનમાં રાખીને સનાતનધર્મની વિધી મુજબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે. આ તિર્થટેમ્પલએ હસ્તકલાથી નિર્માણ પામેલું પૂર્ણકદની હાથઘડતરથી તૈયાર કરાયેલી મૂર્તિઓ ધરાવતુ મંદિર છે અને તેનું નિર્માણ પરંપરાગત નગારાશૈલી તથા સનાતન ધર્મ મુજબ કરાયું છે.

આ મંદિરમાં શિવ, શાક્ત અને વૈષ્ણવદેવી-દેવતાઓની આભૂમિનું પવિત્રસ્થાન તરીકે નિર્માણ કરાયું છે. અહિંયાપવિત્ર નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીનું પ્રતિનિધિત્વ કરતા પવિત્ર જલકુંડનું નિર્માણ કરાયું છે. આ સ્થળનો પ્રદક્ષિણાપથ એકજ સ્થળે સમગ્ર દેશનાં પવિત્રમંદિરો, નદીઓ અને દેવીદેવતાઓની પ્રદક્ષિણાની યાદ અપાવે તે રીતે તૈયાર કરાયો છે.એમાં ભારતના સ્થાપત્યના ભવ્યવારસાનુ પ્રતિબિંબ પડે છે. આ સ્થળ શરીર, મન અને આત્માને શાંતિ આપતા સ્થળ તરીકે વિકસાવાયું છે.આ મંદિર શાંતિવનનો આંતરિક હિસ્સો છે અને તે શ્રીમતી શીલાબેન મોદીની  87 પવિત્ર ભૂમિતીનુ નિર્માણ કરે છે. અહીં 87 સ્થંભ ઉપર શ્રીઈન્દ્રવદન મોદીએ એમનના જીવનમાં અનુસરેલા ભગવદગીતાના શ્લોકોનુ કલાકત્મક રીતે કોતરવામાં આવ્યા છે. ગીતા આપણને પાર્થિવજીવનના અસ્તિત્વ દરમ્યાન પાલન કરવા જેવા ઉદ્દેશ,  ધર્મ અને શું કરવુ જોઈએ અને શું ના કરવુ જોઈએ તેની સમજ તેમજ અંગેના આપે છે.આ સ્થળના બહારના ભાગે વર્તુળાકાર સ્વરૂપે કુદરતની ભરપૂર યાદ આવે તેની રચના વર્ષના જીવનની પવિત્ર ઝલક સમાન છે.એક સ્થિર જળકુંડમાં મુકાયેલા 52 વૉટર જેટ એક ખૂબજ સંવર્ધિત તેમજ ગતિશીલ અને સક્રિય વ્યક્તિત્વની યાદ અપાવે છે. આ જળસ્થાનની સમચોરસ પવિત્ર જગા અને શ્રીયંત્રનુ ત્રિકોણકારી પરિબળ એક શ્રીઈન્દ્રવદન મોદીની આધ્યાત્મિક દુનિયાની કરાઈ છે. અહીં 87 જેટલા હર્બલ અને ધાર્મિક  મહત્વ ધરાવતા છોડની જળાશયની આસપાસ રચના કરાઈ છે. શરીર માનસ અને આત્માને શાંતી પૂરી પાડે તેવા આસ્થળે રામાયણ અને મહાભારતના વિવિધ યાદગાર પ્રસંગોની ઝલક આપે તેવી શિલ્પકૃતિઓની રચના કરવામાં આવી છે.દશાવતારનાં શિલ્પો બદલાતા જતા સમયચક્રની યાદ અપાવે છે. આ ઉપરાંત ત્રિમૂર્તિનુ શિલ્પ ભગવાન શીવની સૃષ્ટીના સર્જન, વિનાશ અને પુનઃનિર્માણની યાદ અપાવે છે. અર્ધનારેશ્વરની પ્રતિમાજીવન અને અસ્તિત્વની નોખ્યાલ આપે છે. શાંતિવન આપણને જીનવમાં આત્મનિરિક્ષણ, અર્થઘટન અને પ્રેરણાનો અવસર પૂરો પાડે છે.આ સમગ્ર સ્થળ  15 હેકટર વિસ્તારમાં પથરાયેલુ છે અને તેમાં ઈન્દ્રશીલ શાંતિવન, તિર્થ, મ્યુઝિયમ, વન અને ગેસ્ટહાઉસનો સમાવેશ થાય છે. ઈન્દ્રશીલ શાંતિવનનો વિસ્તાર 1.91 હેકટર છે અને તેનુ ઈનર સર્કલ 0.41 હેકટરનુ છે. 0.74 હેકટર વિસ્તારમાં હર્બગાર્ડન આવેલુ છે. શાંતિવન મ્યુઝિયમ 1.36 હેકટર વિસ્તારમાં પથરાયેલુ છે.ઈન્દ્રશીલતિર્થ  4.42 હેકટર વિસ્તાર ધરાવે છે.  ઈન્દ્રશીલતિર્થ  4.42 હેકટર વિસ્તાર ધરાવે છે. તેનુ ઈનર સર્કલ 1.40 હેકટર વિસ્તાર આવરી લે છે. તેના સમચોરસ વિસ્તાર પરની એક બાજુ 118. 5 મીટરની લંબાઈ ધરાવે છે.  5 હેકટર વિસ્તારમાં જંગલ આવેલુ છે.  અને તેના 1.40 હેકટર વિસ્તારમાં ગીચ જંગલની રચના કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.