Gujarat Headline News Top Stories

અમદાવાદમાં જૈન અનુષ્ઠાન સંસ્થાના 53 દિવસીય સાધનાનો પ્રારંભ

જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા અમદાવાદમાં વિશેષ 53 દિવસીય સાધનાનો આજે ભવ્ય શુભારંભ થયો. વર્તમાન જૈનશાસન પ્રભાવક **નિકુંજભાઈ ગુરુજી**ના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભકતામર મંત્રના ગાન સાથે સાધના મંત્રની અનુભૂતિ કરી.

આ પ્રસંગે **ડૉ. સુધીર શાહ**એ ભકતામર મંત્રનો મહિમા સમજાવ્યો, જ્યારે **હર્ષબોધિજી મહારાજ**એ જણાવ્યું કે આ 53 દિવસીય નિઃશુલ્ક સાધના આજના તણાવગ્રસ્ત જીવનમાં હજારો લોકોને માનસિક અને આધ્યાત્મિક રાહત આપશે. નિકુંજ ગુરુજીએ ઉપસ્થિતોને મંત્રસાધના અને ન્યૂમેરોલોજી અંગે માર્ગદર્શન આપ્યું.

Leave a Reply

Your email address will not be published.